Friday, May 31, 2019

સાઉથ માં લોકો લૂંગી કેમ પહેરે છે?

1990 -1991  વખત પરીચય થયેલો . શાહબુદ્દીન રાઠોડ સાહેબ ની ખસ ને કાથી વાળો ખાટલો - જોક માંથી અચાનક હકીકત બની ગયેલી.


એ વખતે એન્જિનિરીંગ ના ફાઇનલ યર ના પ્રોજેક્ટ માટે કંપની-કંપની સેક્ટર-સેક્ટર (visulize नगरी नगरी ,द्वारे द्वारे  ... ) ભટકવાનો સમય હતો.

કંપની માં જવાનું , ટાઇ ખાસ પહેરવાની એટલે watchmen સાથે લાંબી રક્ઝક ના થાય ને અંદર જવા દે , રિસેપ્શનિસ્ટ સાથે ની રકઝક મહદ્દ અંશે મીઠી લાગતી પણ તોય ટાઇ પહેરી રાખવાની !


અંતે નાનો ઇન્ટરવ્યૂ - કેટલીક વાર તો ઇન્ટરવ્યૂ પૂરો થાય ત્યારે ખબર પડે કે મજકુર ઈસમ તો પટાવાળો હતો.


પણ ઇન્ટરવ્યૂ વખતે મારુ સંપૂર્ણ ધ્યાન બે પગ વચ્ચે કેન્દ્રિત (મારા સ્તો!) well not literally ! બંને પગ જ્યાં મળવા કોશિશ કરે (see the depth - એ મળવાની કોશિશ છે સાચે મિલન સંભવ નથી બનતું ) ,  હા મારુ સંપૂર્ણ ધ્યાન બંને પગ જ્યાં મળવા કોશિશ કરે ત્યાં બંને બાજુ લુમ્બો જુમ્બો ખસ થયેલી એના પર! ને ઇન્ટરવ્યૂ ના જવાબ તો પ્રશ્ન પણ સાંભળ્યા વગર અટકળે !


ને જવાબ મોઢે થી આપવાના છે ને હાથનું જવાબ આપવામાં ક્યાં કાંઈ કામ છે - એટલે હાથ હાથ નું કામ કરે, જિન્સ પેન્ટ ની બહારથી વાલોરવા નો જેને અનુભવ હશે એને ખબર હશે કે આ રીતે 'job satisfaction' ના મળે એટલે જીન્સ ના આવરણ ને વીંધવું જરૂરી બની જાય ! પણ ઇન્ટરવ્યૂ નો  પણ કોઈ શિષ્ટાચાર હોય ને એટલે પરફેક્ટ બેલેન્સ જાળવવાનું -શિષ્ટાચાર અને અંદર થી ઉઠતા ઉમંગો વચ્ચે !


1990 પછી આશરે ત્રણ દાયકા ના સમય સુધી ખાસ સંપર્ક માં ના રહી શક્યો - you know hectic life and all this ! તે આ ઉનાળે મુલાકાત થઈ ગઈ ! બે-ત્રણ દિવસ યથા શક્તિ વાલોરયું ! જે બે માથાળા માનવી ને આ વલોરવાનો દિવ્ય આનંદ પ્રાપ્ત નથી થયો એ ને શું કહેવું - આ આનંદ નું શબ્દ માં વર્ણન અશક્ય લાગે છે !  વલોરવું શબ્દ વ્હાલ ની કેટલી નજીક છે એતો અનુભવ કરો તો જ ખબર પડે ! હશે જેવા જેના નસીબ - "ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે?"


મિત્ર નિલેશ બાળકો નો ડૉક્ટર જ બની રહ્યો હોત - પણ ના અમે એના જ્ઞાન ફલક ને વિકસાવી શકે એવી હરેક તક પુરી પાડી છે - અમારી આ મહેનત ઉગી નીકળી છે ને એથી જ કોઈક વાર અમારા ફોન મૂક્યા પછી એ ભૂલ માં પીડિયાટ્રિક પેશન્ટ ને પણ બીજે refer કરી દે છે !  Candid પાવડર ને કંજુસાઈ વગર લગાડજે - લગાડતા પહેલા હાથ ના ધોવે તો ચાલે પણ પછી ... જમવા બેસવાનું ના હોય તો પણ હાથ ધોવા પડે. પોતાનો નહીં તો બીજાનો વિચાર કરવો - આવી સલાહ પાવડર ના નામ સાથે મળી.


Candid Powder - નામ જ ઘણું બધું કહી દે છે


Candid શબ્દ ના ઓક્સફર્ડ dictionary માં બે અર્થ આપેલા છે

1.  truthful and straightforward; frank.

2. (of a photograph of a person) taken informally, especially without the subject's knowledge.


પરફેક્ટ ને ? straightforward - સિધ્ધુ ખંજવાળવાનું - frankly અને અર્થ 2 મુજબ કોઈ 'ફોટો' પાડી ના જાય એનું ધ્યાન રાખવાનું !


નામ મળી ગયું પણ picture अभी बाकि है मेरे दोस्त !  Candid નું તમિલ ટ્રાન્સલેશન 'કેન્ડીડઆ" જ થાય એવું જરૂરી નથી - એમાં શું  મેડિકલ સ્ટોર જવાનું ફોન લગાડવાનો અને નિલેશ ને આપી દેવાનો ! दोस्ती की है निभानी तो पड़ेगी !  પણ ના બે મહિના પહેલા આંખ ના એક ટીપા સમજાવવામાં નિલેશ એટલો મરણીયો થઈ ગયેલો કે બપોર ની OPD બંધ રાખવી પડેલી ! એટલે ત્યારનું એનું અલ્ટીમેટમ, કુરિયર માં દવા મોકલી આપીશ પણ ફોન પર વાત નહીં કરાવવાની !

એમ તો નિલેશને આપણા ટેસ્ટ ની ખબર એટલે BlueDart   કે Fed-Ex થી નીચે નહીં જવાનું પણ ઘર માં હવે કટોકટી જાહેર થઈ ગયેલી ને પાવડર લીધા વગર ઘરે ના આવતા એવી કડક સૂચના ! કોઈક નારી face-powder સિવાય ના પાવડર માટે આવી જીદે ભરાય એવી અસામાન્ય ઘટના ને કારણે મને એટલું સમજાઈ ગયેલું કે મામલો ગંભીર છે.


મેડિકલ સ્ટોર વાળા ને કાન ના ટીપા વિષે ઈશારા થી સમજાવવું સરળ છે પણ આ તકલીફ નું ઈશારા થી વર્ણન, એમાં પણ આજકાલ મેડિકલ માં કાઉન્ટર પર પુરુષો ની સંખ્યા ઘટી ગઈ છે  - પારકા મલક માં પ્રોબ્લેમ ઉભો કરે ને !


પણ candid नाम ही काफी रहा ! એણે મારા બે હાથ ની પોઝિશન અને તાજેતર ની કસરત  થી ઉપસેલા બાવડાં જોઈ ને મોટી size જ ફટકારી ! ફિલ્મો માં હીરો આ situation માં પોતાના ખીસા તરફ નજર કરે અને હિરોઈન જાતે પૈસા કાઢી લે પણ આ knowledge અહીં કારગત ના નીવડ્યું - મારે મારા હાથ ને વિરામ આપવો પડ્યો અને હાથ ખીસા તરફ લઈ જવો પડ્યો. પણ એનો ઈશારો મારે સમજવો પડ્યો ને પૈસા હાથો હાથ આપવાને બદલે કાઉન્ટર પર મૂકી દેવા પડ્યા - બચ્ચન સાઉથ માં પોપ્યુલર નહીં હોય,  નહીંતો મારે દીવાર નો dialogue સાંભળવાનો બનત - "में आज भी फेंके हुए पैसे नहीं लेता"


પણ સાઉથ માં લોકો લૂંગી કેમ પહેરે છે એ મને બીજે ઉનાળે સમજાઈ ગયું !






દુબળા કાકા

ચેન્નાઈ આવ્યા ના ગણતરી ના દિવસો માં જ આ માલુમ થઈ ગયેલું કે નામ માં કાંઈ નથી! "What's in a name? that which we call a rose By any other name would smell as sweet." William Shakespeare એ Romeo and Juliet ભારત અને એમાં પણ દક્ષિણ ભારત ના પ્રવાસ પછી લખી હોવી જોઈએ.
શરુ શરૂ માં નામ પૂછવાની Gentalman courtesy જાળવવાનો પ્રયાસ કરેલો, પણ એમનું નામ એમની સામે જ 3-4 પ્રયાસ પછી ખોટું બોલ્યા પછી Gentleman બનવાની કોશિશ છોડી દીધી.

એટલે અમે જાતેજ લોકભોગ્ય નામકરણ કરવાની શરૂઆત કરી દીધી.  ને નામ પણ એવું શોધવાનું કે જો એના ફઈ જીવતા હોય તો પોતાના પૈસે એફિડેવિટ કરાવી ને આપણું નામ approve કરી દે!

દુબળા કાકા આ નામ પણ એમ જ પડેલું. આજે સવારે એમને જોયા આ દ્રશ્ય નું વર્ણન કરું તો - હું અમારી ગેલેરી માંથી સ્પોર્ટ્સ યુનિવર્સિટી માં રમાતી હોકી ટુર્નામેન્ટ નું વિહંગાવલોકન કરતો હતો. નીચે કઈંક અવાજ આવ્યો - પહેલા તો મને મોટું સૂપડું અને એમાં ઉડતા ચોખા દેખાયા. સૂપડા ના ધારણકરનાર ને જોવા માટે તો આંખ જીણી કરવી પડી! એક પરિચિત આકૃતિ દેખાઈ, કાળું ડિબાંગ શરીર ઘૂંટણ ઉપર ચડાવેલી લૂંગી અને લૂંગી ઉપર પાછું એજ વર્ણ નું ખુલ્લું શરીર.

મનુષ્ય શરીર માં કેટલી પાંસળી હોય એ હકીકત ભુલાઈ ગઈ હોય તો ફક્ત અંકગણિત ના જ્ઞાન આધારે હકીકત પુનર્જીવિત કરી શકાય. પણ અત્યારે મારી સમક્ષ એમની પીઠ હતી.

આ અમારા પાડોશી નું વર્ણન છે એમ કહીએ એટલે અમે કોઈ આદિવાસી વિસ્તાર માં રહીએ છીએ એવું જ જણાય અને આપણે માટે આદિવાસી ની બોલી અને દ્રવિડિયન બોલી બેય સરખી.

પણ એ સહેજ ત્રાંસા ફર્યા એટલે મને એમના સામાન્ય દેખાવ માં ત્રણ મોટા ફેરફાર દેખાયા

1 કમર પર શોલે ના ગબ્બરસિંગ અને એના સાગરીતો કારતુસ બાંધવા જે પટ્ટો પહેરતા એવો પટ્ટો
2 Pirates of the Caribbean માં Johnny Depp (નથી) પહેરતો એવો Pirates Eye Patch ડાબી આંખ પર
અને
3. અંધાધૂંધ માં આયુષ્યમાન ખુરાના પહેરે છે એવા ગોગલ્સ

બીજા અને ત્રીજા ફેરફાર નો તાળો બેસી ગયો - કાકા એ એક મહિના પહેલા કરાવેલું મોતિયા નું ઓપેરશન ! મોતિયા માં મહિનો થોડો લાગે એમ તમે કહેતા હો તો મારો ખુલાસો આગળ આવે જ છે.

પહેલો ફેરફાર સમજાયો નહીં? મોતિયા ને લૂંગી સાથે કોઈ સંબંધ ખરો? તો પછી next step માં પટ્ટા ઉપર આવીએ!
No problem - મોતિયા ના ખબર પૂછીએ એટલે એમાંથી કંઈક clue મળશે.

OK પહેલા તમારી શંકા નું નિવારણ કરી દઉં - આ લુપ્ત થતી વનજાતિ ના આદિવાસી જેવા જણાતા અમારા દુબળા કાકા એક જમાના માં ONGC માં Engineer હતા. (ONGC હજી સધ્ધર છે અને મહારત્ન કંપની જ છે)
એક જમાના માં કાકા દુબળા નહીં હોય - જાડાં ભલે ના હોય પણ અત્યાર જેટલા દુબળા તો નહીજ હોય! અને કાકી નું શરીર વધતું ગયું એમાં કાકા દુબળા થતા ગયા એમ માનવું એ Law of conservation of energy અને physics ઉપર આંધળો વિશ્વાસ કહેવાય।

કાળ ક્રમે કાકા નંખાતા ગયા એનું મુખ્ય કારણ retirement વખતે Life time free medical ના બદલા માં 60,000 રૂપિયા રોકડા મળે એ ઓફર લીધી તે!

હવે આઈડિયા આવ્યો કે મોતિયો મટતા એક મહિનો કેમ લાગ્યો? ચેન્નઈ ભલે ને નેત્ર ચિકિત્સા માટે ભારત માં પ્રથમ નમ્બર પર હોય પણ પોન્ડિચેરી ની સરકારી હોસ્પિટલ ના વોર્ડ બોય ની ઓળખાણ નાની થોડી ગણાય ખાસ તો પોન્ડિચેરી Native હોય ત્યારે !

સફળતા પૂર્વક ઓપેરશન થઈ ગયું અને હોસ્પિટલ માંથી, પેલા વોર્ડ બોય ની ઓળખાણ ને કારણે વહેલી રજા  અઠવાડિયા (!) માં મળી ગઈ, પણ ખુદ કાકા ને એની ખબર તો એનો દીકરો ચેન્નાઈ લઈ આવ્યો પછી પડી. મોતિયા માં ભલે લોકલ એનેસ્થેસિયા આપે પણ ઊંઘ ની ગોળી ના ડોઝ જેવી નાની બાબત માં ડૉક્ટર માથું ના મારે એ બધું નર્સ પર, અને વોર્ડ બોય ની ઓળખાણ એટલે બે ગોળી વધારે લ્યો ફ્રી માં જ છે. એટલે અઠવાડિયા પછી કાકા સંપૂર્ણ ભાન માં આવ્યા ત્યારે એ ચેન્નઈ માં હતા. બે દિવસ તો એમને મોતિયો તો છોડો આંખ કોને કહેવાય એ સમજાવતા થયા.

પણ પહેલા ના જમાના ના વડીલ દેશી ઘી ખાઈ ને મોટા થયેલા એટલે 10 દિવસ માં તો કાકી ને ચર્ચ માં લેવા મુકવા માટે રેડી. મોતિયા વાળી આંખ તો બંધ રાખવાની અને બીજી આંખ જોરદાર (!) એનો મોતિયો ભલે પાકી ગયો પણ એને દેશી ઉપચાર થી મટાડવા નો હતો.એટલે એ આંખ પર કાકા ને પૂરો ભરોસો.     
કાકા એ ONGC માં જોડાયા ત્યારે નવું લીધેલું સ્કુટી કાઢ્યું, ડાબા હાથે ઈન્જેકશન પાકેલું એટલે બહુ વજન ના આવવું જોઈએ પણ જમણો હાથ તો મજબૂત છે ને !  કાકી ડાબી બાજુ બંને પગ રાખે તો સ્કુટી ડાબી બાજુ 'ફગે' અને ડાબો હાથ ને તો સંભાળવાનો હતો ને , પણ ગમે તેમ તો engineer ને, કાકી ના બેય પગ જમણી બાજુ રખાવ્યા - હવે Ready !

દિવસ ને વીતતા ક્યાં વાર લાગે છે આજે મહિનો પૂરો - બે વાર પોન્ડિચેરી અને ચેન્નઈ ના ડૉક્ટર ને consult કર્યા પછી એક વાત clear થઈ ગઈ ડાબી આંખ ની ચિંતા હવે કરવાની નથી - એ આંખ માં હવે ઓલો Eye Patch કાયમી રાખવાનો છે - જે કાંઈ થઈ શકે એ હવે જમણી આંખ નું કરવાનું છે!

આંખે કેમ છે એમ પૂછીએ એટલે એ જમણી ની જ વાત કરે ! મને પણ કહ્યુ દેશી ઉપચાર શરુ કર્યો છે અને ફેર લાગે છે! બધી વાત થઈ પણ પટ્ટા નું કાંઈ સમજાયું નહીં !

OVJOSHI

જવા ની વાત ના કર પળે પળે
આવી પાસ બેસ તો વાત નિકળે
અટવાયેલી છે વાત વર્ષોથી ગળે
આજ મોકે મળીયા; વાત નિકળે
રોઝ-ડે નાં આપેલા ગુલાબ મળે
કોલેજ સમયની વાત નિકળે
ખુટે ના વાત; આમ સૂરજ ઢળે
સાથ પુરાવે સાંજ વાત નિકળે.
- ઓમપ્રકાશ જોશી.

Wednesday, May 29, 2019

OVJOSHI

દૂર દરિયે
યાદોનો ઘુઘવાટ
મુઠીમાં રેતી

Tuesday, May 28, 2019

Sanjay Parmar

We citizens, have to remain active constantly about safety precautions.

સુરક્ષાને ધર્મ બનાવવો પડશે. અને આ ધર્મનું રક્ષણ અને સંવર્ધન કરતા શીખવું પડશે.... સતત... અવિરત..! નહિતર આવી ગોઝારી ઘટનાઓનો સિલસિલો ચાલુ જ રહેવાનો.

નાગરિકો, તંત્ર અને નેતાઓ એમ ત્રણે પક્ષ સંભાળવા પડશે

Kavit Pandya

In a bid to regulate the use of RO purifiers, NGT has directed the government to prohibit them where total dissolved solids (TDS) in water are below 500 mg per litre and sensitise public about the ill effects of demineralised water.

The tribunal has also asked the government to make it mandatory to recover more than 60 per cent water wherever RO is permitted across the country.
In a bid to regulate the use of RO purifiers, NGT has directed the government to prohibit them where total dissolved solids (TDS) in water are below 500 mg per litre and sensitise public about the ill effects of demineralised water.

The tribunal has also asked the government to make it mandatory to recover more than 60 per cent water wherever RO is permitted across the country.

સંજય ના શબ્દો

India is the safest country for Muslims..

Amir
Javed
Nasir may have their own opinions.. hardly 0.01 % of total Muslims or India..

Ignore them
Nobody listens to them.

Think majority only

Nasha Automation Shailesh Dave

Establish Instrumentation and Electrical contractor based at Baroda having business all around the world
http://www.nashaautomation.in/

Bhavesh Oza creative engineer and writer

રાત આંખોમાં ઉગી, લંબાઈ ગઈ,
બા ગઈ ને વારતા વિખરાઈ ગઈ.

આબરુ ઘરની પછી ઢંકાઈ ગઈ
બાપુજી થઈ બા બધે ફેલાઈ ગઈ

સૌને ભેગા રાખવાની જીદમાં,
સૌમાં થોડી થોડી બા વહેંચાઈ ગઈ.

મારું પહેરણ આખું હોવું જોઈએ,
બાની સાડી થીંગડે વીંટાઈ ગઈ.

છાપરું લઈને સમય ચાલ્યો ગયો,
બા છબી થઈ ભીંતમાં મૂકાઈ ગઈ.

બા મને તુંકારથી બોલાવતી,
બા જતાં મોટાઈ પણ રોપાઈ ગઈ.

બા તો કેવળ જિંદગી જીવતી હતી,
ને મને એમાં ગીતા સમજાઈ ગઈ

એક સરખી બા બધાંની જોંઉ છું,
એમ લાગે દિવ્યતા પથરાઈ ગઈ.

હુંય ઈશ્વરને ભજી લઉ છું હવે,
બા ગઈ ને બંદગી બદલાઈ ગઈ

OVJ kavishree

*ઝરણાં ગાતા*
*કલકલ વહેતા*
*નિજાનંદમાં*
-હાઈકુ.

Sanjay Parmar

"જળ કમળ છાંડી જા ને બાળા... સ્વામી અમારો જાગશે... તને મારશે.. મને બાળ હત્યા લાગશે"
નાનપણમાં આ કાવ્ય શિક્ષકો ભણાવતા ત્યારે એમા છુપાયેલો મર્મ સમજાતો નહોતો કે, કાળીનાગની પત્ની જે એક નાગણ છે એના મનમાં પણ બાળ હત્યાની ભીતિ છે....એ પણ ત્યારે, જ્યારે બાળ હત્યા તો કાળીનાગ કરવાનો હતો. કવિતા રટાવતા શિક્ષકને બાળહત્યા એ ઘોર પાપ ગણાય એની ખબર હતી કે નહિ એ તો બાલકૃષ્ણને જ ખબર.
     "સંભવામી યુગે યુગે" એવું કહેનારા કૃષ્ણને કલિયુગના કાળીનાગ, 'ભ્રષ્ટાચાર' સાથે હજી ક્યારેય પનારો પડ્યો નથી લાગતો...! કૃષ્ણને શું ખબર કે એ તો દ્વાપર યુગમાં યશોદા એના જીગરના ટુકડાને સાંદિપનીના આશ્રમમાં મોકલવાની હિંમત કરે... કળિયુગમાં આવું દુસાહસ કરી બતાવે જોઉં.
     વિજ્ઞાનનો નિયમ કહે છે કે: ત્રણ ઘટકો જોઈએ અગ્નિ પેદા કરવા માટે. ઇંધણ, પ્રાણવાયુ અને ઉષ્મા. આને અંગ્રેજીમાં 'ફાયર ટ્રાએન્ગલ' કહેવામાં આવે છે. બસ, આ ત્રિકોણ એક વાર પૂરો થઈ જાય પછી એનું તાંડવ કોઈ ન રોકી શકે. કોઈની પરવા નથી કરતી અગ્નિ પછી. આજના સાર્વજનિક જીવનમાં અગ્નિતાંડવ મચાવતા અગ્નિત્રિકોણની ત્રણ બાજુઓ છે: લાલચનું ઇંધણ, સંવેદનહીનતાનો ઓક્સિજન અને બેદરકારીની ઉષ્મા.
     આ દાવાનળ કુમળી વયના બાળકોને ભરખી ગયો સુરતમાં. ધોળે દહાડે કેમેરાની અને અગ્નિની સાક્ષી એ તબાહી મચાવી દીધી. માથે ધોમધખતો સૂર્ય હોવા છતાં ધુમાડાના ગોટેગોટા માનવતાનું મોં કાળું કરી ગયા. હિરા ની ચમક માટે જગમશહૂર સુરત ની 'સુરત' ઉપર રાખનાં થર ચડી ગયા. આખા દેશને કપડાં પુરવતા સુરતને છલાંગ લગાવતા બાળકોને ઝીલવા માટે ન તો ચાદર મળી કે... ન તો ઇજા પામેલાને ઊંચકીને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે કપડું . બારેય માસ વહેતી તાપીના નીર આ આગ સુધી પહોંચાડી ન શકાયા. 'સુરતનું જમણ અને કાશીનું મરણ' જેને મળે એનો જનમ સફળ થયો કહેવાય એવી લોકોક્તિ છે. પણ અહીં તો 'કાશી(જ્ઞાનમંદિર)નું જમણ અને સુરતનું મરણ' એવો ઘાટ થયો. શિક્ષા પ્રાપ્ત કરવા ગયેલાને શેની 'શીક્ષા' મળી..? 'તમસો મા જ્યોતિર્ગમય' ના મોટા પાટિયા ઝુલાવતી શિક્ષણ સંસ્થાઓ જ્યારે જ્યોતિને જ્વાળામાં પલટાવી નાખે ત્યાં કોની પાસે જ્ઞાન લેવા જવું? એવો સવાલ ઉપસ્થિત થાય છે.
     સુરત તો નિમિત્ત માત્ર બન્યું છે. હકીકતમાં તો આવા હઝારો સરથાણા 'સર ઝમીં એ હિન્દુસ્તાન' ના ખૂણે ખૂણે આગની રાહ માં જ છે. બસ ત્યાં હજી અગ્નિત્રિકોણની ત્રણે બાજુઓ પુરી નહિ થઈ હોય. કઈ ક્ષણે આ ત્રિકોણ પૂરો થઈ જશે એ તો બાળકૃષ્ણને જ ખબર. ભારતને દિપક(?)  પ્રગટાવવા કોઈ તાનસેનની જરૂર નથી...! અને હા મેઘમલ્હાર કોણ ગાશે ? એ પણ કોઈને ખબર હોય તો જણાવજો. આ લખતા લખતા કલમ પણ કયારે આગ પકડી લેશે એ ખબર નહીં એટલે વિરામ આપું કલમને...!

- સંજય પરમાર
   ૧:૫૦ કલાક, ૨૬ મે ૨૦૧૯.

મારા મિત્રો ના સર્જનાત્મક લખાણો

મારા મિત્રો ખુબજ સરસ લખે છે. આ બ્લોગ દ્વારા અમે એને દુનિયા સુધી પહોંચાડવા નો પ્રયત્ન કરી રહ્યા છીએ